સુરત પાલિકા દ્વારા દર વર્ષે જૂન મહિનામાં વૃક્ષારોપણ કરે છે અને લાખો રુપિયા વૃક્ષારોપણ પાછળ ખર્ચે છે. પરંતુ કેટલાક લોકો પોતાની દુકાન કે મિલકત બહાર પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાંખે છે. આવી જ એક ફરિયાદ પાલિકાના રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં થઈ છે. જ્યાં દુકાનદારને લાભ કરાવવા માટે આખું વૃક્ષ થડમાંથી કાઢી નાખવામાં આવ્યું ફોટા સાથે ફરિયાદ કરવામાં આવી છે.

