ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીએ ભયાવહ રુપ ધારણ કર્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અસંખ્ય રત્નકલાકારો રઝડી પડ્યા છે. આર્થિક સંકળામણમાં આવી જતાં ઘણાં રત્નકલાકારોએ આપઘાત પણ કર્યો છે. એવામાં સુરતમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. સુરતના વધુ એક રત્ન કલાકાર પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો સામે આવ્યો છે.

