છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો આતંક સતત સામે આવી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો તળાવો અને નદીઓમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે તંત્રએ એકેશન પ્લાન બનાવ્યો છે. ધોળીધજા ડેમ અને વસ્તડી ભોગાવો નદીમાં જ ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા પાકા રસ્તાઓ બનાવ્યા હતા. તંત્રએ પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમ પર અને ભોગાવો નદીમાં બનાવામાં આવેલા રસ્તાઓ તોડી પાડ્યા છે.

