સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સતત દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખનિજ ચોરી અટકાવવા સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી છે. થાન તાલુકાના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા બાદ મહેસુલી ચોકી ઉભી કરાઈ છે.

