Surendranagar news: સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં આ રખડતા શ્વાનોએ 1146 શહેરીજનોને બચકાં ભર્યા હતા. જેથી નાગરિકો આ રખડતા શ્વાનથી કંટાળી તંત્ર સામે રોષ ઠાલવવા મજબૂર બન્યા છે. ચોમાસાના આગમનને પખવાડિયા કરતાં વધુ સમય થયો છતાં શ્વાનોએ નાગરિકોને ભોગ બનાવવાનું એના પહેલાથી શરૂ કરી દીધું હતું. આના લીધે રોજ સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં નિયમિત રીતે 50 દર્દીઓ શ્વાન કરડવાના આવી રહ્યા છે.

