Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં શાળા નજીક આવેલી જૂની અને જર્જરિત ઈમારતો ઉતરાવી લેવાની સ્થાનિકો તરફથી માંગ ઉઠવા પામી છે. હજારો વિદ્યાર્થીઓ જોખમી ઈમારતો નીચેથી પસાર થઈ રહ્યા છે. વઢવાણના નાથાવોરાની શેરીમાં આવેલી જર્જરિત ઈમારતો ઉતરાવી લેવાની માંગને લઈ કમિશનરને સ્થાનિકોએ રજૂઆત કરી હતી. ચોમાસાની સિઝન હજી શરૂ થઈ છે. વરસાદી માહોલમાં જૂના મકાનો અને જર્જરિત ઈમારતો ગમે ત્યારે ધરાશાયી થવાથી વિદ્યાર્થીઓના માથે જોખમ તોળાઈ રહે છે. જેના લીધે આવા મકાનો અને જર્જરિત ઈમારતો વહેલી તકે તંત્ર દ્વારા વહેલી તકે ઉતરી જાય તો સારું.

