છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા એનકેન પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યા છે. એવામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટને મામલે વડતાલ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી હતી. અવારનવાર સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા કરવામા આવતા બફાટ મામલે ચર્ચા થઈ હતી. વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી.

