સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. એવામાં હવે સ્વામિનારાયણના ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ દિવસ રામનવમીના દિવસે ઉજવવાને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેને પગલે, હિંમતનગરમાં આવેલા સનાતન ધર્મ મંદિર શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

