
જ્યોતિષશાસ્ત્રીઓ તો ભવિષ્યવાણીઓ કરે જ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વૈજ્ઞાનિકો પણ ભવિષ્યવાણી કરે છે. તો હા.. દુનિયાના અંતની આગાહી ફક્ત જ્યોતિષીઓ દ્વારા જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા પણ કરવામાં આવી છે. આઇઝેક ન્યૂટન નામના પ્રખ્યાત વૈજ્ઞાનિક દ્વારા દુનિયાના અંતની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
આ એ જ આઇઝેક ન્યૂટન છે, જેમણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી. આ મહાન વૈજ્ઞાનિકે માત્ર ગુરુત્વાકર્ષણના નિયમો જ શોધ્યા નહીં પણ એક રહસ્યમય આગાહી પણ કરી. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, 1704માં લખાયેલા તેમના એક પત્રમાં તેમણે આગાહી કરી હતી કે દુનિયા 2060 માં ખતમ થઈ શકે છે. જોકે, તેમણે "અંત" શબ્દની સાથે "રીસેટ" શબ્દનો પણ ઉપયોગ કર્યો, જે સૂચવે છે કે 2060 માં વિશ્વ વિનાશનો સામનો કરી શકે છે અથવા વિશ્વ એક નવા યુગમાં પ્રવેશ કરી શકે છે.
ન્યૂટને તેની ગણતરી આ રીતે કરી
ન્યૂટન બાઇબલના "બુક ઓફ ડેનિયલ" માંથી તારીખોની ગણતરી કરીને આ નિષ્કર્ષ પર પહોંચ્યા, જેમાં જણાવાયું હતું કે 1260 વર્ષનો સમયગાળો 800 એડી માં શરૂ થશે અને 2060 માં સમાપ્ત થશે. તેમણે લખ્યું, "તે પછીથી થઈ શકે છે, પરંતુ મને તે વહેલા સમાપ્ત થવાનું કોઈ કારણ દેખાતું નથી," આ માટે ન્યૂટને જે ગણતરી આપી હતી તે મુજબ 1260 અને ચર્ચના અંત ની તારીખ 800 એડી હતી, જ્યારે રોમન સામ્રાજ્યની રચના થઈ હતી. ન્યૂટને આમાં 1260 વર્ષ ઉમેર્યા. આ મુજબ, તેમણે કહ્યું છે કે વિશ્વના અંતનું વર્ષ 2060 હશે.
ન્યૂટનની આગાહીથી ડરવાની કોઈ વાત નથી.
ન્યૂટનની આ આગાહી ફક્ત ડરામણી વાત નથી. હેલિફેક્સ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ડી. સ્નોબેલેનના મતે, ન્યૂટન માત્ર એક વૈજ્ઞાનિક જ નહોતા, પણ એક કુદરતી ફિલોસોફર પણ હતા. તેમના માટે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે કોઈ કઠોર વિભાજન નહોતું. તેમનું માનવું હતું કે બાઈબલની ભવિષ્યવાણીનું અર્થઘટન કરવું એ વૈજ્ઞાનિક શોધો કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ન્યૂટનની ગણતરીઓ સંપૂર્ણપણે તથ્યો પર આધારિત ગણી શકાય નહીં, કારણ કે તે તેમની ધાર્મિક માન્યતાઓથી પ્રભાવિત હતી. જોકે, આ આગાહી ચોક્કસપણે પ્રશ્ન ઉઠાવે છે: શું 2060 માં કોઈ મોટો વૈશ્વિક પરિવર્તન આવશે?