રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સાબરકાંઠા( Sabarkantha) જિલ્લામાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કાળઝાળ ગરમીમાં કામ કરનાર 25 વર્ષના શ્રમિકનું મોત નિપજ્યું છે. શ્રમ વિભાગ દ્વારા બપોરે બાર થી ચાર કલાક સુધી કામ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શ્રમિકના મોત બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

