ગુજરાતમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા. આ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં એકનું મોત અને 17થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ધોરાજીમાં, પાટણના સિદ્ધપુર પાસે, મોરબી હાઈવે પર અને સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી છે.

