Surendranagar news: એકવાર ફરીથી સુરેન્દ્રનગરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે. શહેરના મહાલક્ષ્મી ટોકીઝ નજીક મજૂરી કરી પેટિયું રળતા પરિવારજનોના વાહનો ચોરાઈ ગયા હતા. ગરીબ વર્ગના લોકોએ પોતાના વાહનો ચોરાયા અંગેની ફરિયાદ તો નોંધાવી પરંતુ તપાસ ન કરાતો હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ ઉડાઉ જવાબ આપી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.

