Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ટાઉનમાં નોકરી કરવા જતી યુવતીને યુવકે 15 જેટલા ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીને હત્યાને લીધે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસની સઘન તપાસમાં મૃતક યુવતીએ આરોપીને અપશબ્દો કહેતા યુવકે હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ માગવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, યુવતીના હત્યારાને પોલીસે પોતાની આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું.

