Bharuch news: ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડે છે. પાંચ દશક જૂના બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી,આશરે 8535 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ.હાલની સ્થિતિ મુજબ, બલડેવા અને પીંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિ.મી. છે.

