Rajkot news: રાજકોટમાં શિવાજી સેના દ્વારા આયોજિત 555 દીકરીઓના સમુહ લગ્નમાં નકલી દાગીના આપવા મામલે આયોજક વિક્રમ સોરાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે સમુહ લગ્નમાં દીકરીઓને માત્ર એક સોનાની ચૂક આપવામા આવી હતી. કોઈને સમજણફેર થઈ હોય આ પ્રકારની ઘટના બની છે. અને જો કોઈને અન્યાય થયો છે તો અમે તેમને સોનાની જે ચૂક છે તે બદલી આપીશું.

