શુક્રવારે, ક્રાઉડસ્ટ્રાઇકના ખોટા અપડેટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. આ ટેકનિકલ સમસ્યાને કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હવાઈ સેવા, બેંકો, હોસ્પિટલો, શેરબજારો, ટીવી ચેનલો, કોલ સેન્ટરો પણ ઠપ્પ થઈ ગયા હતા. નાગરિક ઉડ્ડયન નિષ્ણાતો પણ સાયબર આતંકવાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જોકે, માઇક્રોસોફ્ટ આવી શક્યતાને નકારી રહ્યું છે. માઈક્રોસોફ્ટની ટીમ સાથે વિશ્વભરના શ્રેષ્ઠ એન્જિનિયરો આ તકનીકી સમસ્યાનું સમાધાન શોધવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ હાલમાં એવું લાગે છે કે સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે.

