
અમદાવાદ : નારોલમાં વૃંદાવન સોસાયટીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ત્રણ યુવકોના ગૂંગળામણથી મોત થયા છે. ખાળકુવાનું સમારકામ કરવા એક યુવક અંદર ઉતર્યો હતો. ઘણા સમય બાદ પણ યુવક બહાર નહી આવતા બીજો અને ત્યારબાદ ત્રીજો યુવક ખાળકુવામાં બચાવ કાર્ય માટે ઉતર્યો હતો. આમ ખાળકૂવામાં ઉતરેલા ત્રણેય યુવકોના મોત થયા છે.
ફાયર વિભાગે ત્રણેય મૃતકોને બહાર કાઢ્યા છે. નારોલ પોલીસે મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કારયુવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ:
- ભુપેન્દ્રસિંહ રાજપૂત
- રિશીરાજ
- રામભાઈ