ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 336 રને પરાજય આપ્યો છે. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલે પ્રથમ ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા હોવાથી, તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે નબળું પ્રદર્શન કરતા ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને નિરાશા વ્યક્ત કરી છે. ટીમના વિસ્ફોટ બેટ્સમેન ઝેક ક્રોલીની ટીકા કરતા વોને કહ્યું કે, "ક્રોલી સતત નિષ્ફળ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તે ભાગ્યશાળી છે કે, તેને ટીમમાં રમવાની તક મળી રહી છે." આ સાથે વોને ક્રોલીને સલાહ આપી છે કે, તેણે શુભમન ગિલની બેટિંગ રણનીતીથી શીખવું જોઈએ અને પોતાની બેટિંગમાં સુધારો કરવો જોઈએ.

