એક તરફ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની છે તો બીજી તરફ ભાજપના મંત્રીએ આ સંવેદનશીલ પરિસ્થિતિનો ઉપયોગ કરી ડંફાસો મારી હતી. ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ભિખુસિંહ પરમારે પોતાના કાર્યકરોએ 200 મૃતદેહ કાઢ્યા હોવાનો જશ ખાંટ્યો હતો. તેમજ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો ભાજપ કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યા હોય તો તંત્ર તે સમયે શું કામગીરી કરી રહ્યું હતું?

