ગુજરાત ભાજપના પ્રવકત્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહી. કોરોના વાઈરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ.

