જૂન મહિનાનું ચોથું સપ્તાહ આજથી (23 જૂનથી 29 જૂન 2025) શરૂ થઈ રહ્યું છે, આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે, ગ્રહ-નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, આ સપ્તાહે કર્ક રાશિના જાતકો માટે સારા પરિવર્તનના યોગ બની રહ્યા છે. જ્યારે સિંહ રાશિના જાતકો માટે કોઈ નવું આયોજન સંભવિત બની શકે છે. બીજી તરફ, વૃશ્ચિક રાશિવાળાએ ખટપટથી દૂર રહેવું હિતાવહ છે અને મીન રાશિવાળાએ કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, ચાલો નજર કરીએ આ સપ્તાહના સાપ્તાહિક રાશિફળ પર.

