કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત છે. બંને એકબીજા સામે આર્થિક કે રાજદ્વારી પગલાં લઈ રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે, પછી ભલે આ આયાત સીધી પાકિસ્તાનથી થતી હોય કે પછી પાકિસ્તાન થઈને અન્ય કોઈ દેશમાંથી ભારતમાં આવતી હોય. ભારત પાકિસ્તાની માલ પર કોઈ ખાસ નિર્ભરતા ધરાવતું નથી, તેથી આર્થિક અસર નહિવત રહેશે અને નુકસાન ફક્ત પાકિસ્તાન જ ભોગવશે. હવે ભલે આ પ્રતિબંધથી કોઈ પણ ભારતીયને બહુ ફરક નહીં પડે, છતાં પણ એક વાત એવી હશે જે કેટલાક લોકો ચૂકી જશે અને તે છે પાકિસ્તાની સિંધવ મીઠું અથવા લાહોરી મીઠું.

