આમ આદમી પાર્ટીમાં દિલ્હીના અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા છે. પંજાબના નેતાઓનું માનવું છે કે દિલ્હીના નેતાઓને બોર્ડ અને કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવે છે. આ સિવાય પણ બીજા મહત્વના સ્થાનો પર પંજાબને બદલે દિલ્હીના નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો પક્ષ સંકટમાં મુકાઈ શકે એમ છે.

