દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.કેજરીવાલે કહ્યું કે,ભાજપના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં કોઇ તબક્કો ખુશ નથી. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઇ રહ્યાં છે.

