હવે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના પેકેટની જેમ વોર્નિંગ લેબલ જોવા મળી શકે છે. જંક ફૂડને લઈને મહારાષ્ટ્ર સરકાર મોટા પગલાં લેવાની તૈયારીમાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર જેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને 'ઓઈલ એન્ડ સુગર બોર્ડ' લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમોસા અને જલેબીના પેકિંગ પર વોર્નિંગ લેબલ પણ ચોંટાડવામાં આવી શકે છે. આ લેબલ પેકેટ જોતા જ ધ્યાનમાં આવે એવા કલરનું હશે અને તેમાં દરરોજ ખાવામાં આવતા નાસ્તામાં કેટલી ફેટ અને સુગર છે તેની માહિતી હશે.

