નિમિષા પ્રિયાને યમનમાં બચાવવાની આશા હવે ઓછી છે. સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલે હવે તેઓ વધારે કાંઈ નહીં કરી શકે. નિમિષાને યમનમાં 16 જુલાઈએ મૃત્યુ દંડ મળી શકે છે. તલાલ અબ્દો મહદીના નામના યમનના નાગરિકની હત્યાના મામલે નિમિષા દોષિત સાબિત થઈ છે.

