ભાડુઆત દ્વારા ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો શું મિલકત માલિક પોતાની મિલકત ખાલી કરાવી શકે એ મતલબના ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દાનો પ્રત્યુત્તર જસ્ટિસ સંજીવ ઠાકરે હકારાત્મક આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, મિલકત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો.

