આઠ વર્ષ પછી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરનારા કરુણ નાયરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે એક અનુભવી ભારતીય ક્રિકેટરે તેને નિવૃત્તિ લેવા કહ્યું હતું. નાયર 2017થી ભારતીયની બહાર હતો. ઘણા પ્રયાસો છતાં તે વાપસી નહતો કરી શક્યો. જોકે, ઘરેલુ ક્રિકેટમાં છાપ છોડ્યા પછી, તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે અને હવે પ્લેઈંગ-ઈલેવનમાં તેનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે.

