26/11 ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક ખાસ ટીમે અમેરિકામાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ ટીમે સખત મહેનત કર્યા પછી અમેરિકન કોર્ટે Tahawwur Rana ના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ તેને ભારત લાવવામાં આવ્યો છે. આ ટીમના અધિકારીઓએ અમેરિકામાં કેસમાં લડત આપવા ઉપરાંત ભારતમાં જેલમાં રાખવા અને પૂછપરછ માટે તેની સુરક્ષાની તૈયારીઓ પણ સુનિશ્ચિત કરી.

