ભારતે આતંકીઓના ઠેકાણા પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈકથી લોકોમાં ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના 9 ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. ભારતીય આર્મી દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી લોકોએ ઉત્સાહિત છે. અને ભારતીય જવાનોના કાર્યને બિરદાવી રહ્યા છે. તો પાકિસ્તાનને સંદેશ આપી રહ્યા છે કે ભારત સામે નજર કરી તો ભારત છોડશે નહીં.

