પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે, એક દિવસ આ છ આતંકવાદી ભાજપમાં જોડાઈ શકે છે, તેથી તેઓ પકડમાં આવી રહ્યા નથી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતાં. ઘટનાને 38 દિવસ થયા હોવા છતાં આ હુમલામાં સામેલ છ આતંકવાદી પકડાયા નથી.

