જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં છે. ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમરેલી જિલ્લાના ધારીમાં મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી. મૌલાનાને ગુજરાત ATSની ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે.

