અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામા પાલનપુરના બે વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો છે. મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પાલનપુરના વિદ્યાર્થી દ્રીજેશ મોરે આંખો દેખી આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે જમીને જેવા હાથ ધોવા માટે જતાં અને અડધે પહોચ્યાં ત્યારે મેસના બિલ્ડીંગ પર પ્લેન ખાબકતા પ્રચંડ અવાજ આવ્યો હતો. બાદમાં અમે અંદર હતા ત્યારે ધુમાડો, ડસ્ટ અને પાર્ટીકલ અંદર આવતા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને દેખાવાનું બંધ થયું હતું. જોકે પ્લેન બિલ્ડીંગના બહાર જવાના દરવાજા ઉપર જ ખાબક્યું હોવાથી એક્ઝીટ ગેટ પર છતના પોપડા પડતાં હતા જોકે અમે તરત બહાર નિકળ્યાં હોત તો જીવ જોખમમાં મુકાયા હોત તેમ જણાવ્યું હતું.

