આજ રોજ ચૈત સુદ નવમીના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર આનંદ અને ઉત્સવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં ઠેર ઠેર રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, મંદિરોમાં રામધુન ભજવામાં આવી હતી. એવામાં સમગ્ર ગુજરાતમાં પણ રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેક ઠેકાણે ભજન, રામધુન તથા કાનગોપીના કાર્યક્રમ યોજાયા હતા તો અનેક સ્થળો પર વિવિધ જાતની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

