20 જૂનથી લીડ્સમાં શરૂ થનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વાઈસ-કેપ્ટન રિષભ પંતે હાજરી આપી હતી. પંતે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તે તેના મનમાં રહેશે અને ટીમ તેમના પ્રદર્શનથી દેશવાસીઓને ખુશ કરવાનો પ્રયાસ કરશે. 12 જૂને, અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફની માત્ર 2 મિનિટ પછી ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો સહિત ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

