
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ ગરમાયું છે. એક તરફ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે(Uddhav Thackeray, Raj Thackeray) વચ્ચે મુલાકાતના સમાચાર છે. તો હવે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના(Sharad Pawar and Ajit Pawar) એકસાથે આવવાની અટકળો ફરી એકવાર તેજ બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને નેતાઓ ઘણી વખત એક જ મંચ પર સાથે દેખાયા છે. તાજેતરનો કિસ્સો સોમવારે બન્યો, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (SP) ના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પખવાડિયામાં ત્રીજી વખત સ્ટેજ શેર કરી રહ્યા હતા. આ વખતે બંને એક જ મંચ પર કૃષિ અને ખાંડ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા.
શરદ પવાર સાથેની ત્રીજી અજિત પવારની ત્રીજી મુલાકાત
તાજેતરના અઠવાડિયામાં બંને પહેલી વાર તેમના પુત્ર જય પવારની સગાઈમાં મળ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પરિવારો સગાઈ જેવા પ્રસંગોએ ભેગા થાય છે અને તેમને અન્ય કોઈ દ્રષ્ટિકોણથી અર્થઘટન કરવાની જરૂર નથી.
સતારામાં રાયત શૈક્ષણિક સંસ્થાના એક કાર્યક્રમમાં પણ સાથે જોવા મળ્યા
અજિત પવારે સતારામાં રાયત શિક્ષણ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ કહ્યું હતું કે, 'મારા કાકા ચેરમેન છે અને હું ટ્રસ્ટી છે. જ્યારે હું રાયત શિક્ષણ સંસ્થાની બેઠકોમાં જાઉં છું, ત્યારે હું નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે જાઉં છું.'
શું કાકા-ભત્રીજાની દુશ્મની પૂરી થશે?
મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર પરિવારનું એક મોટું સ્થાન છે. એક સમયે, શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સાથે મળીને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ મતભેદોને કારણે, અજિત પવારે અલગ થઈને ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા. આ બધી ઘટનાઓ પછી પણ, બંને નેતાઓ વચ્ચે સમયાંતરે મુલાકાતો થતી રહી છે. આ મુલાકાત પછી, લોકોને આશા છે કે કદાચ ભવિષ્યમાં બંને વચ્ચેના મતભેદો ઓછા થશે અને તેઓ સાથે આવશે.