રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ થઈ રહેલી કાર્યવાહીઓ પર સાવચેતી રાખવા સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન ચુપ નહીં બેસે. સિંધુદુર્ગમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં પવારે કહ્યું કે, આજે આપણે જે પણ નિર્ણય લઈ રહ્યા છીએ, તેનો પાકિસ્તાન ભવિષ્યમાં જવાબ આપશે. મને નથી લાગતું કે, પાકિસ્તાન શાંત બેસશે.

