ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણા શરીરને વધુ પાણીની જરૂર પડે છે. પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે, તેથી શરીરને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ ઘણીવાર લોકો પૂરતું નથી પાણી પીતા, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે એક સામાન્ય માણસે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ. ચાલો આ લેખમાં આ વિશે વિગતવાર જાણીએ, સાથે તે પણ જાણીએ કે ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

