સુરતની વરાછા વિધાનસભા બેઠકના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલીયાએ પ્રયાસ કર્યો છે. મિતુલભાઈએ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે. તેમણે આશરે સાત વર્ષ પહેલા મિતુલભાઈના સંબંધીને ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા.

