WAQF Bill માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.

