મનરેગા કૌભાંડ મામલે આહીર સમાજના આગેવાન હીરા જોટવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર આહીર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હીરા જોટવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવી અટકાયત કરવામાં આવી છે.

