Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સજ્જ બન્યું છે. જેના લીધે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર પરિસરમાં BDDS ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. BDDS ટીમ, વજ્ર વાહન, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

