અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત મુશ્કેલીમાં છે. એર ઇન્ડિયાની સેન ફ્રેન્સિસ્કોથી મુંબઇ આવી રહેલા વિમાનની તાજી ઘટના છે. આ વિમાનના એન્જિનમાં ખામી સર્જાઇ હતી. તે બાદ કોલકાતા એરપોર્ટ પર વિમાનને ઉતારવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે વિમાનના એન્જિનમાં ખામીને કારણે આગળ મુસાફરી કરી શક્યુ નહતું. છેલ્લા કેટલાક દિવસથી ઉડાન દરમિયાન એર ઇન્ડિયામાં સતત ખામી સર્જાઇ રહી છે. સોમવારે એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભર્યા બાદ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું.

