ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 8 દિવસ સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યું છે. એવામાં ભારતે બંને દેશોમાંથી પોતાના નાગરિકોને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આજે ઈરાને ભારતીય નાગરિકોની મદદ માટે પોતાનું એરસ્પેસ ખોલવાની મંજૂરી આપી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી ઈરાને પોતાનો એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કર્યો હતો. જોકે ભારતના 1 હજાર વિદ્યાર્થીઓ માટે એરસ્પેસ ખોલવામાં આવ્યો છે.

