અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની ગણતરી ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે હંમેશા વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કર્યું છે. આજે રહાણે (Ajinkya Rahane) 37 વર્ષનો થયો છે અને તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 6 જૂન 1988ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. રહાણે (Ajinkya Rahane) ની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી. ત્યારે ભારતે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

