અમરનાથ યાત્રા શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

