ગુજરાતમાં 16,045 આંગણવાડીઓની ઘટ હોવાથી 37.33 લાખ બાળકો આંગણવાડીઓનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હોવાનું બાળ વિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણના ઓડિટ અંગેનો શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સહાયક પોષણ યોજનાનો લાભ મેળવવાથી કુલ 4.63 કરોડ બાળકોમાંથી 64 લાખ બાળકો વંચિત રહી ગયા છે. કુલ બાળકોમાંથી 14 ટકા બાળકો સહાયક પોષણ યોજનાના લાભથી 2016થી 2023ના ગાળામાં વંચિત રહ્યા હતા. રસીકરણની સતત ઝુંબેશ ચલાવતી હોવા છતાં 6 ટકા બાળકો રસીકરણની સુવિધા મેળવી શક્યા નથી. જોકે 94 ટકા બાળકોને આ સુવિધા મળી છે.

