થોડા સમય પહેલા જ ભારતના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે વિશ્વ ક્રિકેટના વધુ એક દિગ્ગજ ખેલાડી ટેસ્ટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડી છે શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ. મેથ્યુઝે શુક્રવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. ૩37 વર્ષીય ખેલાડીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જૂનમાં ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાનારી મેચ તેની છેલ્લી ટેસ્ટ હશે.

