ગુજરાતમાં જમીન માફિયાઓનું રાજ હોય તેવું સામે આવ્યું છે. બેખોફ રીતે ભૂમાફિયાઓ બિલ્ડરો પર અને જમીન માલિકો પર હુમલો કરી રહ્યા છે. અમદાવાદના બે બિલ્ડરો પર થોડાક દિવસો પહેલા કડીમાં તેમના જ પ્લોટ પર કુખ્યાત તત્વોએ ઢોર માર માર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવા માટે કુખ્યાત શખ્સ મેહુલ રઘુનાથ રબારીએ સ્થળની રેકી કરી હતી. રેકી બાદ આ પ્લોટ પર લાકડી, દંડા અને ધારીયા સાથે કુખ્યાત રઘનાથ રબારીએ તેના 15 ગુંડાઓને તૈયાર રાખ્યા હતા.

