India vs Bangladesh News : બાંગ્લાદેશના નેતાઓ અને સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવાની ભારતની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશે ભારતની આ કાર્યવાહીને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. જોકે હકીકતમાં મંગળવારે ભારતે 67 બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલ્યા હતા જ્યારે બુધવારે સવારે 13 લોકો ભારત-બાંગ્લાદેશ સરહદની ઝીરો લાઇન્સ પર ફસાયેલા રહ્યા.

